Prithviraj Trailer Launch: અક્ષય કુમારની ફિલ્મ `પૃથ્વીરાજ`નું દળદાર ટ્રેલર રિલીઝ

09 May, 2022 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મના મેકર્સે સોમવારે એટલે કે 9 મેના અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સ્ટારર આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મના ટ્રેલરને યૂટ્યૂબ પર જોઈ શકાય છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમાર હાલ પોતાની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ પૃથ્વીરાજને લઈને ચર્ચામાં છે. અભિનેતાની આ ફિલ્મ ઘણો સમયથી પોતાની રિલીઝની રાહ જોઈ રહી છે. ચાહકો પણ અક્ષય કુમારની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના મેકર્સે સોમવારે એટલે કે 9 મેના અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સ્ટારર આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મના ટ્રેલરને યૂટ્યૂબ પર જોઈ શકાય છે.

ફિલ્મના ટ્રેલરમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણના પાત્રમાં દમદાર એક્ટિંગ કરતો જોવા મળે છે. તો, પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર રાજકુમારી સંયોગિતાની ભૂમિકામાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ટ્રેલરને જોતાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ફિલ્મની સ્ટોરી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને રાજકુમારી સંયોગિતાની લવસ્ટોરી પર આધારિત છે. આ સિવાય ફિલ્મના ટ્રેલરમાં 1191 અને 1192માં થયેલા પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ગૌરી વચ્ચેના તરાઈનના યુદ્ધની ઝલક પણ જોવા મળી.

અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સિવાય ટ્રેલરમાં અભિનેતા સોનુ સૂદ કવિ ચંદ્રવરદાઈના પાત્રમાં જોવા મળ્યા. તો, અભિનેતા સંજય દત્ત કાકા કાન્હાની ભૂમિકામાં દર્શકોનું મનોરંજન કરવાના છે. સાથે જ આશુતોષ રાણા જયચચંદ અને માનવ વિજ મોહમ્મદ ગૌરીના પાત્રમાં જોવા મળ્યા. આ સિવાય ફિલ્મમાં સાક્ષી તંવર, લલિત તિવારી પણ મુખ્ય પાત્ર ભજવતા જોવા મળશે. ફિલ્મ પૃથ્વીરાજને ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યા છે.

ફિલ્મના ટ્રેલરમાં લોકોને અક્ષય કુમારનો શાહી અંદાજ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. તો, ફિલ્મમાં અક્ષયના પ્રેમના રંગમાં રંગાયેલી માનુષી છિલ્લરનો લૂક અને અભિનય પણ દર્શકોને પણ પસંદ આવી રહ્યું છે. ઘણાં સમયથી પોતાની રિલીઝમાં અટકેલી ફિલ્મના ટ્રેલરમાં શાનદાર વીએફએક્સ જોવા મળે છે. એવામાં હવે ફિલ્મના ટ્રેલર પછી ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું એ છે કે ફિલ્મ સિનેમાઘરોમાં ઘમાલ મચાવવામાં સફળ રહે છે કે નહીં. ફિલ્મના ટ્રેલર રિલીઝની માહિતી આપતા અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શૅર કરી છે. ટ્રેલરની એક વીડિયો ક્લિપ શૅર કરતા એક્ટરે કૅપ્શનમાં લખ્યું, શૌર્ય અને વીરતાની અમર કહાની... આ સ્ટોરી છે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની.

ફિલ્મની રિલીઝની વાત કરતા યશરાજ ફિલ્મના બેનર હેઠળ બનેલી આ ફિલ્મને આ વર્ષે 3 જૂનના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ છેલ્લા ઘણાં સમયથી પોતાના રિલીઝની રાહમાં છે. હકિકતે, ફિલ્મને પહેલા વર્ષ 2020માં દિવાળીમાં રિલીઝ કરવામાં આવવાની હતી. પણ લૉકડાઉનને કારણે આનું શૂટિંગ પૂરી થઈ શકી નહીં અને ફરી કોરોનાને કારણે ફિલ્મ રિલીઝ વારંવાર ટાળવામાં આવી. જો કે, હવે આ ફિલ્મ આવતા મહિને હિંદી, તામિલ અને તેલુગૂમાં રિલીઝ થશે.

bollywood news bollywood bollywood gossips entertainment news trailer launch akshay kumar prithviraj chavan manushi chhillar