કેરળમાં પ્રેગ્નન્ટ હાથણીની હત્યાને લઈને રોષે ભરાઈ બૉલીવુડ સેલિબ્રિટીઝ

04 June, 2020 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેરળમાં પ્રેગ્નન્ટ હાથણીની હત્યાને લઈને રોષે ભરાઈ બૉલીવુડ સેલિબ્રિટીઝ

કેરળના મલપ્પુરમ જિલ્લામાં ગર્ભવતી હાથણીને ફટાકડાવાળું અનાનસ ખવડાવતા તેનું મૃત્યુ થયું છે. આ બાબતે બૉલીવુડ સેલિબ્રિટીઝ રોષે ભરાયા છે અને આ દુર્ઘટના પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું છે. આવો જોઈએ કયા સેલેબ્ઝે પોતાનો રોષ વ્યક્ત કર્યો....

આ ખૂબ જ ભયાનક છે. આપણે એ વિશે અવાજ ઉઠાવવો જોઈએ. શું આ કોઈ મજાક છે? આ ખરેખર દુઃખદ છે : આલિયા ભટ્ટ

આ ખરેખર ભયાવહ છે. કેરળના પ્રશાસને જરૂરી પગલાં લેવાં જોઈએ. આપણે એ લોકોને શોધી કાઢવા જોઈએ અને તેમને સજા આપવી જોઈએ: રાજકુમાર રાવ

આ ઘટના કેવી રીતે ઘટી? લોકોને શું હૃદય નથી? આ જોઈને તો મારું દિલ હચમચી ઊઠ્યું અને હું તૂટી ગઈ. દોષીઓને સખતમાં સખત સજા થવી જોઈએ: શ્રદ્ધા કપૂર

આવી ક્રૂર ઘટના કેવી રીતે ઘટી? આવું કરવા માટે લોકોમાં હિમ્મત કેમ આવે છે? કેવા પ્રકારની હિન માનસિકતા ધરાવતા હશે આ લોકો? આપણે એના પ્રતિ, એના બાળક પ્રતિ માનવતા દેખાડવામાં નિષ્ફળ ગયા છીએ. RIP: ક્રિતી ખરબંદા

અનુષ્કા શર્માએ લોકોને વિનંતી કરી છે કે મૂંગાં જાનવરો અને છોડ પ્રતિ ઉદાર અને સમાનતાભર્યું વર્તન કરવું જોઈએ. 5 જૂને વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે છે. ગ્લોબલ વૉર્મિંગ એક મોટી સમસ્યા બની ગઈ છે. પર્યાવરણની કાળજી રાખવી ખૂબ જરૂરી બની ગયું છે. સૌકોઈ એના માટે લોકોને જાગૃત કરી રહ્યા છે. પ્રાણીઓ અને છોડ પ્રતિ કરુણા દેખાડવાની વાત કરતાં અનુષ્કાએ કહ્યું હતું કે, ‘ધરતી માટે મારી ઇચ્છા છે કે આપણે છોડ અને પશુઓ પ્રતિ સારું વર્તન રાખીએ. એ પણ માનવ જાતિની જેમ આ કુદરતનો અગત્યનો ભાગ છે. આપણે તમામ પશુઓ અને છોડ સાથે ઉદારતા અને સમાનતા સાથે વ્યવહાર કરીએ. આશા રાખું છું કે આપણે એમનો આપણી જરૂરિયાત પૂરતો ઉપયોગ ન કરીએ, કારણ કે છેવટે તો આપણે એકલા જ છીએ.'

entertainment news bollywood bollywood news bollywood gossips kerala alia bhatt rajkummar rao shraddha kapoor kriti kharbanda anushka sharma