વિજય થલપતિ અને અજિતના ફૅન્સ પર પોલીસનો લાઠીચાર્જ

12 January, 2023 03:37 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

બન્ને ઍક્ટર્સના ફૅન્સ વચ્ચે ફિલ્મની ટક્કરને લઈને મતભેદ થતાં તેમને કન્ટ્રોલમાં લાવવા પોલીસે લીધાં કડક પગલાં

વિજય થલપતિ અને અજિત

વિજય થલપતિ અને અજિતના ફૅન્સ આક્રમક બનતાં ચેન્નઇમાં પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. વિજયની ‘વરિસુ’ અને અજિતની ‘થુનીવુ’ એક જ દિવસે રિલીઝ થઈ છે. આ ફિલ્મો જોવા તેમના ફૅન્સની ભીડ થિયેટર્સ પર વધી ગઈ હતી. વિજયના ફૅન્સ અજિતની ‘થુનીવુ’નું અને અજિતના ફૅન્સ વિજયની ‘વરિસુ’નાં પોસ્ટર ફાડી રહ્યા હતા. તેમની વધતી આક્રમકતાને જોતાં પોલીસે પરિસ્થિતિને હાથમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો અને કેટલાકની ધરપકડ પણ કરી હતી. સાથે જ તામિલનાડુ સરકારે આ બન્ને ફિલ્મોના સવારના ૪ અને ૫ વાગ્યાના શો પોંગલ ફેસ્ટિવલ પૂરો થાય ત્યાં સુધી કૅન્સલ કરી દીધા છે. ૧૫થી ૧૮ જાન્યુઆરી સુધી આ ફેસ્ટિવલ યોજવામાં આવશે. કોઈ અપ્રિય ઘટના ન ઘટે એ માટે રાજ્યભરમાં પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

entertainment news bollywood news bollywood gossips bollywood south india chennai