કેમ PM મોદીએ અમિતાભ બચ્ચન અને આમિર ખાનના કર્યા વખાણ ?

02 July, 2019 07:38 PM IST  |  દિલ્હી

કેમ PM મોદીએ અમિતાભ બચ્ચન અને આમિર ખાનના કર્યા વખાણ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયાંતરે બોલીવુડના સ્ટાર્સ સાથે સોશિયલ મીડિયાથી વાતચીત કરતા હોય છે. ચૂંટણી પહેલા પીએમ મોદીએ તમામ બોલીવુડ સેલેબ્ટને ટીક કરીને અનોખા અંદાજમાં વોટિંગ કરવા અને વોટિંગ માટે લોકોને તૈયાર કરવા માટે અપીલ કરી હતી. ત્યારે હવે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદીએ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાનના વખાણ કર્યા છે.

આમિર ખાન અને અમિતાભ બચ્ચન સહિત ઘમા સેલેબ્સે કેન્દ્ર સરકારના જળ શક્તિ અભિયાનને ટેકો આપતા સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો, અને લોકોને પાણી બચાવવા માટે અપીલ કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ આ માટે અમિતાભ બચ્ચન અને આમિર ખાનનો આભાર માન્યો છે.

કેટલાક દિવસો પહેલા જ આમિર ખાને પાણી બચાવવા અંગે એક વીડિયો શૅર કર્યો હતો. જેમાં તેમણે પાણીનું મહત્વ દર્શાવ્યું હતું. પીએમ મોદીએ આ કામ માટે આમિર ખાનના વખાણ કર્યા છે. પીએમ મોદીએ આમિર ખાનના ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું કે પાણી બચાવવા માટે છેક છેવાડાના લોકો સુધી જાગૃક્તા પેદા કરવાની જરૂર છે.

પીએમ મોદીના આ ટ્વિટને રિટ્વિટ કરતા આમિર ખાને લખ્યું કે,'આપણા સૌના માટે પાણીને મૌલિક અને પ્રાથમિક મુદ્દો બનાવવાની તમારે પહેલ મહત્વનું પગલું છે. એટલે અમારું તમને સમર્થન છે.'

આ પણ વાંચોઃ Mumbai Rain: તસવીરોમાં જુઓ કેવી છે મુંબઈની હાલત

ઉલ્લેખનીય છે કે પાણીની તંગીને પહોંચી વળવા માટે મોદી સરકારે જળ શક્તિ અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાનને બોલીવુડના સ્ટાર્સ પણ સપોર્ટ કરી રહ્યા છે, અને લોકોમાં જાગૃક્તા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ પીએમ મોદીના અભિયાન માટે આમિર ખાન અને અમિતાભ બચ્ચને અભિયાનને વખાણતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શૅર કરી છે. સ્ટાર્સની આ પીલ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને પોતાના પ્રતિક્રિયા આપી છે.

amitabh bachchan aamir khan narendra modi