31 July, 2021 04:38 PM IST | Mumbai | Agency
મનોજ બાજપાઈ, સુનિલ પાલ
સુનીલ પાલે તાજેતરમાં જ મનોજ બાજપાઈને લઈને અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેને રાજ કુન્દ્રાના કેસ વિશે પૂછવામાં આવ્યું હતું. એના પર સુનીલ પાલે મનોજ બાજપાઈ અને ‘મિર્ઝાપુર’ વિશે ઘણી અપમાનજનક કમેન્ટ કરી હતી. તેણે બાજપાઈને કહ્યું હતું કે વો ગિરા હુઆ ઇન્સાન હૈ. સુનીલના આ નિવેદન પર ખૂબ જ શાંતિપૂર્વક જવાબ આપતાં બાજપાઈએ કહ્યું હતું કે ‘હું સમજી શકું છું કે લોકો પાસે કામ નથી. હું એ વાતને સારી રીતે સમજી શકું છું. હું પણ એ સ્થિતિમાંથી પસાર થયો છું. જોકે આવી સ્થિતિમાં લોકોએ મેડિટેશન કરવું જોઈએ.’