થિયેટર્સની સાથે લોકો કામ પર જાય એ પણ જરૂરી છે : રકુલ

13 October, 2021 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ વિશે વાત કરતાં રકુલ પ્રીત સિંહે કહ્યું હતું કે ‘ઘણીબધી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે અને અમે બધાં એક વર્ષથી ફિલ્મને રિલીઝ કરવા માટે રાહ જોઈ રહ્યાં હતાં. 

થિયેટર્સની સાથે લોકો કામ પર જાય એ પણ જરૂરી છે : રકુલ

રકુલ પ્રીત સિંહનું કહેવું છે કે લોકોએ ફક્ત થિયેટર્સમાં જ નહીં, પરંતુ કામ પર જવાની પણ જરૂર છે. મહારાષ્ટ્રમાં ૨૨ ઑક્ટોબરથી થિયેટર્સની શરૂઆત થવા જઈ રહી છે. આ થિયેટર્સની શરૂઆત થતાં જ લાઇનમાં ફિલ્મો રિલીઝ થતી જોવા મળશે. રકુલ પ્રીત સિંહે દસ ઑક્ટોબરે તેના જન્મદિવસે જ તેની જૅકી ભગનાણી સાથેની રિલેશનશિપની જાહેરાત કરી હતી. ફિલ્મ વિશે વાત કરતાં રકુલ પ્રીત સિંહે કહ્યું હતું કે ‘ઘણીબધી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે અને અમે બધાં એક વર્ષથી ફિલ્મને રિલીઝ કરવા માટે રાહ જોઈ રહ્યાં હતાં. 
હું આશા રાખું છું કે બધું જલદી નૉર્મલ થઈ જાય અને લોકો જેમ બને એમ જલદી કામ કરવાનું શરૂ કરી દે અને તેમનું જીવન નૉર્મલ બનાવે. હું મારી બર્થ ડેના દિવસે પણ કામ કરી રહી હતી. આગામી વર્ષે મારી ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. મારી 6-7 ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે અને હું એ માટે ખૂબ જ એક્સાઇટેડ છું.’

bollywood news bollywood bollywood gossips entertainment news rakul preet singh