24 September, 2021 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘જનહિત મેં જારી’ લઈને આવી રહી છે નુશરત ભરૂચા
નુશરત ભરૂચા કૉમેડી ફિલ્મ ‘જનહિત મેં જારી’ લઈને આવવાની છે. આ ફિલ્મની સ્ટોરી ‘ડ્રીમગર્લ’ના ડિરેક્ટર રાજ શાંડિલ્યએ લખી છે અને નવોદિત ડિરેક્ટર જય બન્ટુ સિંહ એને ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં નુશરતની સાથે અનુદ ઢાકા, અનુ કપૂર અને પરિતોષ ત્રિપાઠી પણ જોવા મળશે. ફિલ્મને વિનોદ ભાનુશાલી પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મનું શૂટિંગ ગઈ કાલથી મધ્ય પ્રદેશના ચંદેરીમાં શરૂ કરવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મની જાહેરાત શૅર કરતાં નુશરતે કૅપ્શન આપી હતી કે ‘એક વુમનિયા સબ પર ભારી, યે સૂચના હૈ ‘જનહિત મેં જારી.’’