હાર્ટ સર્જરી નહીં, પરંતુ મારી ઍન્જિયોપ્લાસ્ટી થઈ છે : મહેશ ભટ્ટ

21 January, 2023 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍન્જિયોપ્લાસ્ટી લોહી વગરની સામાન્ય પ્રક્રિયા છે

મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટે જણાવ્યું છે કે તેમની હાર્ટ સર્જરી નહીં, પરંતુ ઍન્જિયોપ્લાસ્ટી થઈ છે. તેમની ઉંમર ૭૪ વર્ષ છે. તેઓ રેગ્યુલર ચેક-અપ માટે ગયા હતા અને ડૉક્ટરે તેમને ઍન્જિયોપ્લાસ્ટી કરાવવાની સલાહ આપી હતી. તેમણે ડૉક્ટર્સની પણ ખૂબ પ્રશંસા કરી છે. એ વિશે મહેશ ભટ્ટે કહ્યું કે ‘આ પ્રક્રિયાને સર્જરી કહેવી ખોટું કહેવાશે. સર્જરીમાં નાઇફનો ઉપયોગ કરવામાં આવે છે.

ઍન્જિયોપ્લાસ્ટી લોહી વગરની સામાન્ય પ્રક્રિયા છે. એના માટે અડધો કલાક લાગે છે અને આઇસીયુમાં રહેવું ફરજિયાત હોય છે. બીજા દિવસે તો ડિસ્ચાર્જ મળી જાય છે. એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં મારી ટ્રીટમેન્ટ સારામાં સારા ડૉક્ટર્સે કરી હતી. ૧૬ જાન્યુઆરીએ ઍન્જિયોપ્લાસ્ટી થઈ અને ૧૮ જાન્યુઆરીએ હું ઘરે આવી ગયો. હું જીવંત છું અને મારી આગામી બુક પર કામ કરી રહ્યો છું.’

entertainment news bollywood news mahesh bhatt