26 May, 2022 01:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
શાહરુખ ખાનનું કહેવું છે કે તેના ઘર ‘મન્નત’ને તેની વાઇફ ગૌરી ખાને ડિઝાઇન કર્યું હોવાથી એમાં ફેરફાર કરવાની કોઈને મંજૂરી નથી. તેનું કહેવું છે કે ગૌરીએ ખૂબ જ કાળજીપૂર્વક આ બંગલોને સજાવ્યો છે. એ વિશે શાહરુખે કહ્યું કે ‘મારા ઘરમાં મોટા ભાગની વસ્તુઓ મારા ઘરની લેડી ગૌરીએ ખરીદી છે. મારા ઘરની ડિઝાઇનમાં જરા પણ ફેરફાર કરવાની કોઈને પરવાનગી નથી, કારણ કે તે ઉમદા ડિઝાઇનર છે. કેટલીક બાબતો મને કરવાની મંજૂરી છે કેમ કે ઘર માટે જરૂરી એવી કેટલીક ટેક્નૉલૉજી હું સારી રીતે જાણું છું. હું જ્યારે પણ ટેલિવિઝન ખરીદું તો એને મારી ઇચ્છા પ્રમાણે કોઈ પણ રૂમમાં કે કોઈ પણ સ્થાને રાખી શકું છું અને એ માટે મારે કોઈને પૂછવાની જરૂર નથી અને આ જ એક સત્ય છે.’