28 January, 2022 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાગાર્જુને સમન્થાએ ડિવૉર્સ માગ્યા હોવાની વાતને ફગાવી
નાગાર્જુનનું કહેવું છે કે સમન્થાએ ડિવૉર્સ માગ્યા હોવાના સમાચાર પાયાવિહોણા છે. નાગ ચૈતન્ય અને સમન્થાના થોડા સમય પહેલાં જ ડિવૉર્સ થયા છે. બન્ને પરસ્પર સમજૂતીથી છૂટાં થયાં છે. જોકે હાલમાં એવા સમાચાર ચાલી રહ્યા છે કે ડિવૉર્સનો નિર્ણય સમન્થાનો હતો અને નાગ ચૈતન્યએ તેના નિર્ણયનો સ્વીકાર કર્યો હતો. જોકે નાગ ચૈતન્યને સૌથી વધુ નાગાર્જુનની અને તેઓ શું વિચારશે અને કુટુંબની પ્રતિષ્ઠાની ચિંતા હતી એવી વાતો ચાલી રહી છે. આ વિશે નાગાર્જુને કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા અને ઇલેક્ટ્રૉનિક્સ મીડિયામાં મારા ક્વોટ સાથે સમન્થા અને નાગ ચૈતન્ય વિશે જે સ્ટેટમેન્ટ ફરી રહ્યું છે એ એકદમ ખોટું અને પાયાવિહોણું છે. હું મીડિયા ફ્રેન્ડ્સને વિનંતી કરું છું કે આવી અફવા ન્યુઝ તરીકે ફેલાવવાનું બંધ કરે.’