હું એ લોકો સાથે જ કામ કરીશ જેમના કામનો હું રિસ્પેક્ટ કરું છું

08 April, 2024 06:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅન્સરને માત આપીને મળેલા બીજા જીવનનો આભાર માનીને મનીષા કોઇરાલાએ કહ્યું...

વેબ-સિરીઝ ‘હીરામંડી - ધ ડાયમન્ડ બાઝાર’ની કાસ્ટ

મનીષા કોઇરાલા વેબ-સિરીઝ ‘હીરામંડી - ધ ડાયમન્ડ બાઝાર’માં જોવા મળશે. સંજય લીલા ભણસાલીની આ સિરીઝ નેટફ્લિક્સ પર ૧ મેએ રિલીઝ થશે. ૨૦૧૨માં મનીષાને ઓવેરિયન કૅન્સરનું નિદાન થયું હતું. આ સિરીઝની તમામ ઍક્ટ્રેસિસ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મનીષાએ કૅપ્શન આપી હતી, ‘મારે ઘણી બધી બાબતો માટે આભાર વ્યક્ત કરવાનો છે. કરીઅરમાં મેં ખૂબ સફળતા જોઈ, અગત્યના રોલ ભજવ્યા, બેસ્ટ ડિરેક્ટર્સ અને ફ્રેન્ડશિપ મારા કપરા સમયમાં મારા પડખે ઊભાં રહ્યાં. ભગવાનની કૃપાથી કૅન્સરનો સામનો કરીને મને નવજીવન મળ્યું છે. મેં જીવનમાં ખૂબ ખરાબ સમય જોયો છે અને ખોટા નિર્ણય પણ લીધા છે. આ તમામ ઉતાર-ચડાવમાં લાઇફ મારા માટે એક શિક્ષક જેવી રહી છે. એથી હું સમયના અગત્યને સમજી છું. ભૂતકાળ ભલે કપરો અને દુખદ રહ્યો, પરંતુ વર્તમાનમાં શાંતિ છે. મારી લાઇફનો સૌથી સારો સમય એટલે પેરન્ટ્સ સાથે પસાર કરેલો સમય છે. નેપાલમાં કુદરતી વાતાવરણનો આનંદ ઉઠાવ્યો, મારા સુંદર ગાર્ડનની કાળજી લેતી હતી, મારા પેટ્સનું ધ્યાન રાખતી હતી અને આધ્યાત્મિકતામાં ડૂબી ગઈ હતી. હું બેસ્ટ ફિલ્મો અથવા તો શહેરની લાઇફ પાછળ નથી દોડતી. હું માત્ર એવા લોકો સાથે કામ કરવા માગું છું જેમના કામનો હું રિસ્પેક્ટ કરું છું.’

entertainment news bollywood buzz bollywood news manisha koirala