19 October, 2021 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મંદિરા બેદી
મંદિરા બેદીએ પોતાનાં બાળકોને જીવવાનો ઉદ્દેશ માનીને આગળ વધવાનો નિર્ણય લીધો છે. તેના હસબન્ડ રાજ કૌશલનું જૂનમાં નિધન થયું હતું. મંદિરાને બે બાળકો વીર અને તારા છે. હવે તેમને માટે જીવવાનું જણાવતાં મંદિરાએ કહ્યું કે ‘મારું લક્ષ સતત કામ કરવું, પ્રયાસ કરવો અને સારું કામ કરવાનું છે. મારાં બાળકો મારી મોટી પ્રેરણા છે. હું જેકંઈ કરું છું એ તેમને માટે જ કરું છું. તેઓ મારા માટે આગળ વધવાનું, જીવવાનું, સારું કામ કરવાનું કારણ છે. બાળકોને કારણે જ મારામાં હિમ્મત, સ્ટ્રેન્ગ્થ, રળવાનો ઉદ્દેશ છે. તેમને માટે હું સારી પેરન્ટ બનવા માગું છું.’