21 January, 2022 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લતા મંગેશકર
લતા મંગેશકરની હાલત હજી પણ સ્થિર હોવાનું તેમના પ્રવક્તાએ જણાવ્યું છે. તેમને કોરોના અને ન્યુમોનિયા થયો હોવાથી તેઓ બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં આઇસીયુમાં દાખલ છે. તેમની ઉંમરના હિસાબે તેમને હાલમાં ડૉક્ટરોએ નિરીક્ષણ હેઠળ રાખ્યાં છે. તેમને ૯ જાન્યુઆરીથી દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલાં તેમની હાલત ગંભીર હોવાના સમાચાર વહેતા થયા હતા. તેમની તબિયત વિશે માહિતી આપતાં પ્રવક્તા અનુષા શ્રીનિવાસન ઐયરે કહ્યું કે ‘લતાદીદીની સ્થિતિ સ્ટેબલ છે. ડૉક્ટર જ્યારે પરવાનગી આપશે ત્યારે તેઓ ઘરે પાછાં આવશે.’