કુંડલી ભાગ્યના સંજય ગગનાણીના થઈ રહ્યા છે ડિવૉર્સ?

24 April, 2024 05:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજયે ઇન્સ્ટાસ્ટોરી પર એક પોસ્ટ શૅર કરી છે જેને લીધે તેના ડિવૉર્સ થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે

સંજય ગગનાણી

કુંડલી ભાગ્ય’માં જોવા મળેલા સંજય ગગનાણીના ડિવૉર્સ થઈ રહ્યા હોવાની ચર્ચા છે. તેણે ૨૦૨૧ની ૨૮ નવેમ્બરે દિલ્હીમાં પૂનમ પ્રીત ભાટિયા સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં ઘણી સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. પૂનમે ‘દો દિલ બંધે એક ડોરી સે’, ‘નામકરણ’ અને ‘એક હસીના થી’ જેવા ઘણા શોમાં કામ કર્યું છે. તેમના લગ્નજીવનમાં હવે પ્રૉબ્લેમ ચાલી રહ્યા હોવાની ચર્ચા છે. સંજયે ઇન્સ્ટાસ્ટોરી પર એક પોસ્ટ શૅર કરી છે જેને લીધે તેના ડિવૉર્સ થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. એમાં તેણે લખ્યું છે કે ‘હું જેટલો પ્રેમ કરી શકું છું એટલો જ દૂર પણ રહી શકું છું. (આ સાથે તેણે હાર્ટબ્રેકની સ્માઇલી શૅર કરી હતી.)

entertainment news television news indian television