21 August, 2021 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુણાલ ખેમુ
કુણાલ ખેમુએ જણાવ્યું છે કે તેને લદાખમાં આધ્યાત્મિક અનુભવ થયો છે. લદાખમાં આવેલા ચાંગલાબાબાના મંદિરે તે ગયો હતો. ચાંગલા પાસ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. એનો વિડિયો પણ તેણે શૅર કર્યો છે. વિડિયોમાં ઠંડો પવન વાઈ રહ્યો છે, બાઇકની સવારી કરી રહ્યા છે અને હર હર ભોલે - નમઃ શિવાયનો નાદ સંભળાઈ રહ્યો છે. ચાંગલાબાબાના મંદિર પાસેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કુણાલે કૅપ્શન આપી હતી છે, ‘અમારી યાત્રાનો અંતિમ પડાવ ચાંગલાબાબાનાં દર્શન કરવાનો હતો. અમે સહીસલામત આ પ્રવાસ પૂરો કર્યો એ માટે હું આભાર વ્યક્ત કરું છું. મારી યાત્રા દરમ્યાન મને શાંતિ અને આધ્યાત્મનો અનુભવ થયો હતો. હું ફરી એક વખત અહીં આવવા માગું છું.’