15 April, 2021 05:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કરીના કપૂરે કર્યો ખુલાસો, કેમ હજી સુધી પૌત્રનું મોં નથી જોયું શર્મિલા ટાગોરે..
અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનને 21 ફેબ્રુઆરી,2021ના રોજ બીજું બાળક થયું. આ કપલે અત્યાર સુધી પોતાના બીજા દીકરાના નામની જાહેરાત નથી કરી અને ન તો સોશિયલ મીડિયા પર બાળકની કોઇ તસવીર શૅર કરી છે. પરિવારના સભ્યોને નવજાત બાળકને જોવાની તક મળી છે, પણ શર્મિલા ટાગોર હજી સુધી બાળકને મળી શકી નથી.
શર્મિલા ટાગોર મહામારી બાદ પટૌદી પેલેસમાં છે અને તાજેતરમાં જ વેક્સીન લીદી છે. તેણે લેડીઝ સ્ટડી ગ્રુપ સાથે એક ઇન્ટરવ્યૂ કર્યો, જ્યાં કરીના કપૂર ખાને ખુલાસો કર્યો કે તે તેમને ખૂબ જ મિસ કરે છે.
વિશ્વની સૌથી સુંદર અને શાલીન મહિલાઓમાંની એક
કરીનાએ પોતાની સાસની પ્રશંસા કરતા કહ્યું કે, "જ્યારે આ પ્રકારના એક આઇકન અને લેજેન્ડ વિશે વાત કરવાની હોય, ત્યારે શું કહેવાનું બાકી છે? આખું વિશ્વ જાણે છે કે મારી સાસ, જેમને હું મારી સાસ કહેવા માટે ખુશ નસીબ છું, ધરતી પર અવતરનારી સૌથી સુંદર અને શાલીન મહિલાઓમાંની એક છે. પણ હું તેમને વધારે નજીકથી જાણી શકી તે માટે ખુશનસીબ છું, તે વૉર્મ, લવિંગ, કૅરિંગ છે. તે પોતાના બાળકોને જ નહીં પણ પોતાના પૌત્ર અને વહૂ માટે પણ એવી જ છે."
જલ્દી મુલાકાતની આશા
કરીનાએ આગળ ખુલાસો કર્યો કે મહામારી દરમિયાન વધારે મુલાકાત નથી થઈ શકી અને આશા છે કે શર્મિલા ટાગોર ટૂંક સમયમાં જ પોતાના નવજાત પૌત્રને મળશે. કરીનાએ કહ્યું કે, "આ ફેક્ટ છે કે આખું વર્ષ નીકળી ગયું અને અમે હકીકતે એટલો સમય આપી શક્યા નથી, જેટલો અમે પહેલા આપતા હતા. તમે આપણાં પરિવાર સાથે જોડાયેલા નવા મેમ્બરને નથી જોઇ શક્યા પણ અમે તમારા આવવા અને અમારી સાથે સમય પસાર કરવાની રાહ જોઇ રહ્યા છે."