કંગના હજી કેમ કુંવારી છે?

13 May, 2022 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું કહેવું છે કે તેના વિશે એવી અફવા ફેલાવવામાં આવે છે કે તે છોકરાઓ સાથે મારપીટ કરે છે

કંગના રનોટ

કંગના રનોટે જણાવ્યું છે કે કયા કારણસર તે હજી પણ કુંવારી છે. તેનું કહેવું છે કે તેના વિશે એવી અફવા ફેલાવવામાં આવે છે કે તે છોકરાઓ સાથે મારપીટ કરે છે અને આ જ કારણ છે કે તેનાં લગ્ન નથી થઈ રહ્યાં. આ અફવાને કારણે લોકોમાં તેના માટે આવી ધારણા બંધાઈ ગઈ છે. તેને હાલમાં પૂછવામાં આવ્યું હતું કે શું રિયલ લાઇફમાં પણ તે ‘ધાકડ’ના તેના કૅરૅક્ટર જેવી છે? એનો જવાબ આપતાં કંગનાએ કહ્યું કે ‘આવું જરા પણ નથી. રિયલ લાઇફમાં મેં કોને માર્યા છે? તમે લોકોએ મારા વિશે જે અફવાઓ ફેલાવી છે એને કારણે જ હું આજ સુધી લગ્ન નથી કરી શકી. એવી અફવા ફેલાવવામાં આવે છે કે હું છોકરાઓ સાથે મારપીટ કરું છું.’

entertainment news bollywood bollywood news bollywood gossips kangana ranaut