21 November, 2021 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કમલ હાસન
કમલ હાસને અને સૂર્યાએ ખેતી વિષયક કાયદાઓને પાછા લેવાના સરકારના ફેંસલાનું સ્વાગત કર્યું છે. આ કાયદાના વિરોધમાં છેલ્લા ઘણા મહિનાઓથી ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા હતા. તેમને સપોર્ટ આપવા કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મૈયમે પણ આંદોલનના સ્થળે હાજરી આપી હતી. એ વિશે ટ્વિટર પર કમલ હાસને ટ્વીટ કર્યું હતું કે ‘મક્કલ નિધિ મૈયમે આ કાયદાનો શાંતિપૂર્ણ ઢબે વિરોધ કર્યો હતો અને પાર્ટીના નેતાઓ જ્યારે દિલ્હીમાં આંદોલન સ્થળે ગયા એ ખરેખર ઐતિહાસિક ક્ષણ હતી અને તેમના આ આંદોલનમાં જોડાવાનો ગર્વ હતો.’
બીજી તરફ ‘જય ભીમ’ના સૂર્યાએ પણ ટ્વીટ કર્યું હતું કે ‘ખેડૂતો દ્વારા કરવામાં આવેલા અહિંસક આંદોલનને મળેલી જીત આશા જગાવે છે. લોકશાહીમાં લોકો જ સર્વોપરી છે. લોકોની લાગણી પર ધ્યાન આપીને સરકારે જે ફેંસલો લીધો છે એ અમને ખુશી આપે છે. હું દિલથી તમામ ખેડૂતોને શુભેચ્છા આપું છું જેમણે છેવટ સુધી લડત ચાલી રાખી હતી.’