ખેડૂતોની જીતની ખુશી વ્યક્ત કરી કમલ હાસન અને સૂર્યાએ

21 November, 2021 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકશાહીમાં લોકો જ સર્વોપરી છે. લોકોની લાગણી પર ધ્યાન આપીને સરકારે જે ફેંસલો લીધો છે એ અમને ખુશી આપે છે. હું દિલથી તમામ ખેડૂતોને શુભેચ્છા આપું છું જેમણે છેવટ સુધી લડત ચાલી રાખી હતી.’

કમલ હાસન

કમલ હાસને અને સૂર્યાએ ખેતી વિષયક કાયદાઓને પાછા લેવાના સરકારના ફેંસલાનું સ્વાગત કર્યું છે. આ કાયદાના વિરોધમાં છેલ્લા ઘણા મહિનાઓથી ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા હતા. તેમને સપોર્ટ આપવા કમલ હાસનની પાર્ટી મક્કલ નિધ‌િ મૈયમે પણ આંદોલનના સ્થળે હાજરી આપી હતી. એ વિશે ટ્વિટર પર કમલ હાસને ટ્વીટ કર્યું હતું કે ‘મક્કલ નિધ‌િ મૈયમે આ કાયદાનો શાંતિપૂર્ણ ઢબે વિરોધ કર્યો હતો અને પાર્ટીના નેતાઓ જ્યારે દિલ્હીમાં આંદોલન સ્થળે ગયા એ ખરેખર ઐતિહાસિક ક્ષણ હતી અને તેમના આ આંદોલનમાં જોડાવાનો ગર્વ હતો.’
બીજી તરફ ‘જય ભીમ’ના સૂર્યાએ પણ ટ્વીટ કર્યું હતું કે ‘ખેડૂતો દ્વારા કરવામાં આવેલા અહિંસક આંદોલનને મળેલી જીત આશા જગાવે છે. લોકશાહીમાં લોકો જ સર્વોપરી છે. લોકોની લાગણી પર ધ્યાન આપીને સરકારે જે ફેંસલો લીધો છે એ અમને ખુશી આપે છે. હું દિલથી તમામ ખેડૂતોને શુભેચ્છા આપું છું જેમણે છેવટ સુધી લડત ચાલી રાખી હતી.’

bollywood news bollywood bollywood gossips entertainment news kamal haasan