26 January, 2023 06:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૅકલિન ફર્નાન્ડિસ અને સુકેશ ચન્દ્રશેખર
જૅકલિન ફર્નાન્ડિસે ૨૭ જાન્યુઆરીએ દુબઈ જવા માટે પરમિશન માગી છે. દુબઈમાં ૨૭થી ૩૦ જાન્યુઆરી દરમ્યાન આયોજિત પેપ્સિકો ઇન્ડિયા કૉન્ફરન્સમાં તેણે હાજરી આપવાની છે. એ માટે તેણે દિલ્હીની એક કોર્ટમાં અરજી કરી છે. સુકેશ ચન્દ્રશેખરના ૨૦૦ કરોડના મની-લૉન્ડરિંગ કેસમાં જૅકલિનનું નામ સંડોવાયેલું છે. એ કેસમાં તેની અનેક વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે પૂછપરછ કરી છે. જોકે જૅકલિને તાજેતરમાં કરેલી અરજી પર ફેંસલો સંભળાવવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે સમય માગ્યો હતો. હવે જૅકલિનની આ અરજી પર ૨૭ જાન્યુઆરીએ ચુકાદો આપવામાં આવશે.