પ્રભાસે અયોધ્યાના રામમંદિરમાં ૫૦ કરોડ ડોનેટ કર્યા હોવાની અફવા

21 January, 2024 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગ દરમ્યાન બૉ​લીવુડની અને સ્પોર્ટ્સ જગતની અનેક સેલિબ્રિટીઝ હાજર રહેશે.

પ્રભાસ

પ્રભાસે અયોધ્યાના રામમંદિર માટે ૫૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું હોવાની અફવા છે. આ સમાચાર સાથે જ સોમવારે આયોજિત થનાર એ ભવ્ય ઉત્સવ દરમ્યાન તેણે લોકોને ભોજન 
પૂરું પાડવાની જવાબદારી પણ લીધી હોવાની અફવા છે. પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગ દરમ્યાન બૉ​લીવુડની અને સ્પોર્ટ્સ જગતની અનેક સેલિબ્રિટીઝ હાજર રહેશે. પ્રભાસે ૫૦ કરોડનું દાન આપ્યું છે એ અફવામાં વધુ ઉમેરો કરતાં આંધ્ર પ્રદેશના એમએલએ ચિરલા જગ્ગીરેડ્ડીએ જણાવ્યું હતું કે ઉદ્ઘાટનના દિવસે લોકોનો જમવાનો જે ખર્ચ થશે એ પ્રભાસ ઉઠાવશે. આવી ફેલાતી અફવાને જોતાં પ્રભાસની ટીમે ચોખવટ કરી છે કે પ્રભાસે આટલી મોટી રકમનું દાન નથી આપ્યું કે ન તો ઉત્સવ દરમ્યાન તેણે લોકોના ભોજનનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે.

ayodhya ram mandir prabhas bollywood news bollywood gossips bollywood entertainment news