જો નવરાત્રિ પર શું કરવું એની સમજ ન પડે તો મમ્મીની જ પૂજા કરી લેજો

14 April, 2021 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંગના રનોટે ગઈ કાલે ગુઢીપાડવા હોવાથી લોકોને આ સલાહ આપી

કંગના રણોત

કંગના રનોટનું કહેવું છે કે નવરાત્રિ દરમ્યાન શું કરવું એની સમજ ન પડે તો તમારી મમ્મીની પૂજા કરીને આશીર્વાદ મેળવી લેવા. કંગનાએ ગઈ કાલે ગુઢીપાડવા હોવાથી લોકોને આ સલાહ આપી હતી. દેવીની પૂજા કરતો પોતાનો ફોટો શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી કે ‘દરેકને ગુઢીપાડવા, નવરાત્રિ અને ન્યુ યરની હાર્દિક શુભેચ્છા. મેં જ્યારે ઘર છોડ્યું હતું ત્યારે મારી મમ્મીએ મને આ દેવીનો ફોટો આપ્યો હતો. મેં ઘણુંબધું ખોયું છે, પરંતુ આ દેવીમા મારી સાથે હંમેશાં રહ્યાં છે. મારું માનવું છે કે તેમણે હંમેશાં મારું ધ્યાન રાખ્યું છે. આ નવરાત્રિ પર શું કરવું એની તમને જાણ ન હોય તો તમારી મમ્મીની પૂજા કરો અને તેમના આશીર્વાદ લો.’

bollywood news bollywood bollywood gossips entertainment news kangana ranaut