અક્ષયકુમારને કારણે લક્ષ્મીનો મેસેજ વધુ લોકો સુધી પહોંચે એવી આશા છે:રાઘવ

10 November, 2020 06:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમારને કારણે લક્ષ્મીનો મેસેજ વધુ લોકો સુધી પહોંચે એવી આશા છે:રાઘવ

રાઘવ લૉરેન્સ, અક્ષયકુમાર

અક્ષયકુમારની ‘લક્ષ્મી’નો મેસેજ વધુ લોકો સુધી પહોંચે એવી ફિલ્મના ડિરેક્ટર રાઘવ લૉરેન્સને આશા છે. આ ફિલ્મ ગઈ કાલે રાતે સાત વાગ્યે અને પાંચ મિનિટે ડિઝની + હૉટ સ્ટાર પર સ્ટ્રીમ થઈ હતી. આ ફિલ્મની રિલીઝ પહેલાં રાઘવ લૉરેન્સ ઇમોશનલ થયો હતો અને તેણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં રાઘવે લખ્યું હતું કે ‘હેલો ફ્રેન્ડ્સ અને ફૅન્સ. મારી હિન્દી ડેબ્યુ ફિલ્મ ‘લક્ષ્મી’ રિલીઝ થઈ છે. મારી તેલુગુ ‘કંચના’ દ્વારા મેં ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે એ વિશે મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો. લોકો અને ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી દ્વારા એને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. એ જ રીતે જ્યારે અક્ષય સર હિન્દી રીમેકમાં કામ કરી રહ્યા છે ત્યારે આ મેસેજ વધુ લોકો સુધી પહોંચે એવી આશા રાખું છું. સામાન્ય રીતે મોટા ઍક્ટર્સ આવાં પાત્રોને પસંદ નથી કરતા. જોકે અક્ષય સર ખૂબ જ સારા વ્યક્તિ છે અને તેમને સોસાયટીની પરવા હોવાથી તેમણે ઘણી મેસેજ આપતી ફિલ્મો પણ કરી છે. હું ખાસ કરીને અક્ષયકુમારનો આ ફિલ્મ કરવા માટે આભાર માનું છું. ફિલ્મની પ્રોસેસ માટે હું મારી બહેન શબિના, તુષાર સર, ખૂબ જ સારી ઍક્ટિંગ કરવા માટે કિયારા અડવાણી અને મારા ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી વેટ્રી, મારા કો-ડિરેક્ટર્સ અને મારા ટેક્નિશ્યનનો આભાર માનું છું.’

entertainment news bollywood bollywood news laxmmi bomb akshay kumar