15 November, 2020 01:39 PM IST | Mumbai | Agencies
અજય દેવગન
અજય દેવગનનું કહેવું છે કે તે હંમેશાં તેનાં બાળકોને આઉટડોર ઍક્ટિવિટી માટે પ્રોત્સાહિત કરે છે. અજય દેવગનનું કહેવું છે કે આજે બાળકો ગૅજેટ્સનો વધુ ઉપયોગ કરે છે અને ઘરમાં બેસી રહે છે. તેઓ ફીલ્ડમાં સ્પોર્ટ્સ રમવાનું પસંદ નથી કરતાં. આથી જ તેણે ‘છલાંગ’ને પણ પ્રોડ્યુસ કરી હતી. આ વિશે વાત કરતાં અજય દેવગને કહ્યું કે ‘હું મારા દીકરા યુગને શક્ય હોય એટલું બહાર રમવા માટે કહું છું. પેરન્ટ્સ દ્વારા પણ તેમને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ‘છલાંગ’માં જે મેસેજ આપ્યો છે એ હાલના સમયમાં ખૂબ જરૂરી છે. સ્કૂલના દિવસોમાં ફિઝિકલ ટ્રેઇનિંગ અને સ્પોર્ટ્સને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું હતું એનું આ રિમાઇન્ડર છે. ‘છલાંગ’ એક એવી ફિલ્મ છે જે એન્ટરટેઇન કરવાની સાથે મોટિવેટ પણ કરે છે.’