‘કહો ના પ્યાર હૈ’ અગાઉ ડૉક્ટરે મને કહ્યું હતું કે તું કદી ડાન્સ અને ઍક્શન ફિલ્મો નહીં કરી શકે : હૃતિક રોશન

19 September, 2022 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૃતિક તેની દરેક ફિલ્મોમાં ઍક્શન અને ડાન્સ કરતો જોવા મળે છે.

હૃતિક રોશન

હૃતિક રોશને જણાવ્યું કે ‘કહો ના પ્યાર હૈ’ પહેલાં ડૉક્ટરોએ મને કહ્યું હતું કે તું કદી ડાન્સ અને ઍક્શન ફિલ્મો નહીં કરી શકે. આ ફિલ્મ દ્વારા હૃતિકે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ રોમૅન્ટિક-ઍક્શન ફિલ્મ બાદ તે લોકોનો ફેવરિટ બની ગયો છે. હૃતિક તેની દરેક ફિલ્મોમાં ઍક્શન અને ડાન્સ કરતો જોવા મળે છે. તેની ઍક્શન અને ડાન્સ મૂવ્સના લોકો દીવાના છે. પોતાની ઇચ્છાશક્તિ દ્વારા તેણે ડૉક્ટર્સની વાતને પણ ખોટી પુરવાર કરી છે. તેણે પડકારને માત આપી છે. ડૉક્ટર્સે આપેલી સલાહ વિશે હૃતિક રોશને કહ્યું કે ‘મારી ‘કહો ના પ્યાર હૈ’ પહેલાં ડૉક્ટરોએ મને જણાવ્યું હતું કે તારી હેલ્થ સારી નથી એથી તું ઍક્શન ફિલ્મો અને ડાન્સ નહીં કરી શકે. જોકે મેં એને ચૅલેન્જ તરીકે ​સ્વીકારી લીધી અને મારી હેલ્થ, ફિટનેસ, નવી વસ્તુઓ શીખવા પર અને અન્ય બાબતો પર ખાસ ધ્યાન આપ્યું. આજે હું ઘણો ખુશ છું કે આ ચમત્કાર જ છે કે મારી આ પચીસમી ​ફિલ્મ છે અને હું આજે પણ ઍક્શન કરું છું, ડાન્સ કરું છું અને મારા ડાયલૉગ્સ સચોટપૂર્વક બોલી શકું છું.’
તેની ‘વિક્રમ વેધા’ ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે લીડ રોલમાં છે. તેણે ફૅન્સની સાથે ડિરેક્ટર્સનો પણ આભાર માન્યો હતો. એ વિશે હૃતિકે કહ્યું કે ‘તમારા સૌના પ્રેમ અને સપોર્ટ વગર આ શક્ય નહોતું. ડિરેક્ટર્સે મારા પર ભરોસો મૂક્યો એ માટે હું નસીબદાર છું.’

bollywood news bollywood bollywood gossips hrithik roshan entertainment news