ગોવિંદાનો ખુલાસો: કેમ 49 વર્ષની ઉંમરે ફરી કર્યા લગ્ન

29 July, 2019 04:18 PM IST  | 

ગોવિંદાનો ખુલાસો: કેમ 49 વર્ષની ઉંમરે ફરી કર્યા લગ્ન

કેમ 49 વર્ષની ઉંમરે ફરી કર્યા લગ્ન

ગોવિંદા એક એવા એક્ટર છે જેમની છાપ બોલીવુડ ફિલ્મોમાં પોતાના અભિનયથી અલગ પોતાની છાપ છોડી છે. ગોવિંદાએ દરેક પ્રકારની ફિલ્મમાં દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવ્યું છે. ખાસ કરીને ગોવિંદાની કોમેડીનો અંદાજ કંઈક અલગ છે. ગોવિંદા 90ના દશક અને નવી સદીમાં ગોવિંદાએ કોંમેડીને નવી ઉંચાઈએ પહોંચાડી છે. હાલમાં જ ગોવિંદા ઈન્ડિયા ટીવીના આપકી અદાલત શૉમાં પહોંચ્યા હતા અને પોતાના લગ્નને લઈને રસપ્રદ ખુલાસો કર્યો છે.

કેટલાક વર્ષ પહેલા ગોવિંદા ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે પત્ની સુનીતા સાથે એકવાર ફરી લગ્ન કર્યા હતાં. શૉમાં ગોવિંદાએ આ વિશે ખુલાસો કરતા કહ્યું હતુ કે, તેમણે પોતાની મમ્મીના કહેવા પર પોતાની પત્ની સાથે ફરી લગ્ન કર્યા હતા. તેમની માતાએ કહ્યું હતું કે, 49 વર્ષની ઉંમરે પહોંચીને ફરીથી લગ્ન કરવા અને મમ્મીની ઈચ્છાને માન આપીને ગોવિંદાએ 49 વર્ષની ઉંમરે પત્ની સુનીતા સાથે ફરી લગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગોવિંદાએ જાન્યુઆરી 2015માં સુનીતા સાથે રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: જુઓ Avengers: Endgameનો એ ઈમોશનલ સીન, જે કરી નખાયો હતો ડિલીટ

ગોવિંદાએ પત્ની સુનીતા સાથેની પહેલી મુલાકાતને યાદ કરતા કહ્યું હતું કે, તે પાર્ટીથી પરત ફરી રહ્યાં હતા. તેમનો હાથ સુનીતા સાથે ટકરાઈ ગયો. સુનીતા અને ગોવિંદાએ એકબીજાનો હાથ હટાવ્યો નહી અને ગોવિંદા અને સુનીતા વચ્ચેના સંબંધો મજબુત થતા ગયા.' ગોવિંદા અને સુનીતાએ 11 માર્ચ 1987માં લગ્ન કર્યા હતા જો કે ગોવિંદાએ તેમના કરીઅરના કારણે 4 વર્ષ સુધી તેમના લગ્ન છુપાવીને રાખ્યા હતાં.

govinda gujarati mid-day