28 November, 2021 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાનાએ હાલમાં એક પ્રેરણાત્મક પોસ્ટ શૅર કરી છે. તેણે તેના ફૅન્સને કહ્યું છે કે તેઓ જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી શકે છે. તેણે લોકોને સલાહ આપી છે કે પોતાની અંદરનો જેકોઈ ડર છે એને બહાર કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રશ્મિકાએ કૅપ્શન આપી હતી, ‘શું તમને લાગે છે કે તમે મુશ્કેલીઓનો સામનો કરી શકો છો? તમારા મતે તમારી ચૅલેન્જ શું છે? શું એ સરખામણી છે? મૂંઝવણ? નિષ્ફળતા? અપૂર્ણતા? તમારી મુશ્કેલી શું છે? શું તમને લાગે છે કે તમે એમાંથી બહાર નીકળી શકો છો? હા, ચોક્કસ તમે એ કરી શકો છો. કોઈ પણ કરી શકે છે. એ માટે સૌપ્રથમ તો તમે શોધી કાઢો કે તમારી મુશ્કેલી શું છે. ત્યાર બાદ ધીમે-ધીમે દિવસો પસાર થતા જશે ત્યારે તમે એમાંથી બહાર આવી શકશો. એક દિવસ તમને પણ અહેસાસ થશે કે જે તમારો સૌથી મોટો ડર હતો એ હવે નથી રહ્યો. હું આ એટલા માટે કહું છું, કારણ કે હું આવું ઘણાં વર્ષોથી કરતી આવી છું અને આજે પણ એનું અનુકરણ કરી રહી છું. તમારામાંથી જો થોડા લોકોને પણ આનાથી મદદ મળશે તો હું ખુશ થઈશ.’