બાળકોએ મને જીવનનું મૂલ્ય શીખવ્યું છે : અર્જુન રામપાલ

20 June, 2022 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેને માહિકા, માયરા અને એરીક નામનાં ત્રણ બાળકો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અર્જુન રામપાલનું કહેવું છે કે તેનાં બાળકોએ તેને જીવનનું મૂલ્ય શીખવ્યું છે. તેને માહિકા, માયરા અને એરીક નામનાં ત્રણ બાળકો છે. મૉડલ ગૅબ્રિએલા ડિમિટ્રીએડ્સથી તેને એરીક નામનો દીકરો છે જે હાલમાં બે વર્ષનો છે. તેની વાઇફ મેહરથી તેને બે દીકરીઓ માહિકા અને માયરા છે. તેની સાથે તે ખૂબ ક્લોઝ છે. સાથે જ આ બન્ને તેમના નાનકડા ભાઈની પણ ખૂબ કાળજી લે છે. એ વિશે પૂછવામાં આવતાં અર્જુને કહ્યું કે ‘આ એક સારી ફીલિંગ છે. મને એવું લાગે છે કે મારે હજી બાળકો હોવાં જોઈએ. ભગવાનની અમારા પર ખૂબ કૃપા છે. મેહરે દીકરીઓનો ઉછેર ખૂબ સારી રીતે કર્યો છે. એથી હું પોતાને નસીબદાર માનું છું. મારી ફૅમિલીમાં મારી બહેનો અને અન્ય સદસ્યો સાથે પણ અમે ખૂબ ક્લોઝ છીએ. હું હવે દરેક વસ્તુને મહત્ત્વ આપવા લાગ્યો છું. મારાં બાળકો અને મારા પરિવારે મને જીવનનું મૂલ્ય શીખવાડ્યું છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips arjun rampal fathers day