03 May, 2021 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાયરા બાનુ અને દિલીપ કુમાર
દિલીપ કુમારની હેલ્થ વિશે સાયરા બાનુએ જણાવ્યું કે તેઓ એકદમ સ્વસ્થ છે અને તેમને કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો પણ નથી. માત્ર રૂટીન ચેકઅપ માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ વિશે સાયરા બાનુએ કહ્યું હતું કે ‘ડૉક્ટર્સે સલાહ આપી હતી કે તેમને રૂટીન ચેકઅપ્સ માટે ખારમાં આવેલી હિન્દુજા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવે. તેમના શરીરમાં કોઈ તકલીફ નથી. તેઓ તંદુરસ્ત છે. છેલ્લા બે દિવસોમાં તેમની તમામ ટેસ્ટ કરવામાં આવી છે. હવે તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો છે. તમારા સૌની શુભેચ્છા માટે આભાર. તમારા લોકોની પ્રાર્થનાને કારણે જ દિલીપ સાહેબ સ્વસ્થ છે અને ઘરમાં છે.’