ડિલિવરી બાદ ફિલ્મોથી વધુ સમય દૂર નહીં રહે આલિયા

05 August, 2022 05:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂર અને આલિયાએ એપ્રિલમાં લગ્ન કર્યાં હતાં

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટનું કહેવું છે કે તે ડિલિવરી બાદ ફિલ્મોથી વધુ સમય દૂર નહીં રહે. તેણે થોડા સમય પહેલાં જ ગુડ ન્યુઝ આપ્યા છે. રણબીર કપૂર અને આલિયાએ એપ્રિલમાં લગ્ન કર્યાં હતાં. આવતા વર્ષે તેમના ઘરે બાળકની કિલકારી સાંભળવા મળશે. હાલમાં આલિયાની ‘ડાર્લિંગ્સ’ રિલીઝ થવાની છે. આ ફિલ્મને તેણે શાહરુખ ખાન સાથે મળીને પ્રોડ્યુસ પણ કરી છે. તે હસબન્ડ રણબીર સાથેની ‘બ્રહ્માસ્ત્ર’ અને રણવીર સિંહ સાથેની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પણ દેખાવાની ​છે. આલિયાએ જ્યારથી પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે ત્યારથી જ તેની પ્રોફેશનલ લાઇફને લઈને તેને વિવિધ સવાલો કરવામાં આવે છે. તેને પૂછવામાં આવે છે કે શું તે ફિલ્મોને અલવિદા કહેશે કે પછી બાળકના ઉછેર માટે સમય આપશે. એ ​તમામ અટકળોને લઈને આલિયાએ કહ્યું હતું કે ‘હું ડિલિવરી બાદ મોટો ગૅપ નહીં લઉં. સાથે જ માતૃત્વને કારણે ફિલ્મો પણ નહીં છોડું.’

entertainment news bollywood bollywood news bollywood gossips alia bhatt ranbir kapoor