21 May, 2020 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શૂજિત સરકાર, કરણ જોહર
ભારતમાં અમ્ફાન સુપર સાયક્લોને હાહાકાર મચાવ્યો છે. બુધવારે ઓરિસ્સા, કોલકતા અને પશ્ચિમ બંગાળમાં સુપર સાયક્લોનની અસર જોવા મળી હતી. આ તોફાનથી થઈ રહેલા નુકસાનને જોઈને બૉલીવુડના સેલેબ્ઝ બહુ દુઃખી થયા છે. આ બાબતે તેમણે ટ્વીટર પર ચિંતા વ્યક્ત કરી છે અને લોકોની સલામતી માટે પ્રાર્થના પણ કરી છે. કરણ જોહર, ડાયરેક્ટર શૂજિત સરકાર, રણવીર શૌરી અને મિમી ચક્રવર્તીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.
કરણ જોહરે કહ્યું હતું કે, શું આ વર્ષ હજી વધારે ખરાબ થઈ શકે છે. પશ્ચિમ બંગાળ સુરક્ષિત રહો. અમે બધા તમારી સલામતી માટે પ્રાર્થના કરીએ છીએ.
ડાયરેક્ટર શૂજિત સરકારે, આ એક એવો અનુભવ છે જે પહેલા ક્યારેય ન થયો હોય. અમ્ફાન સુપર સાયક્લોન બહુ વિશાળ છે. હું પ્રાર્થના કરું છું કે ઓછામાં ઓછું નુકસાન થાય.
અભિનેતા રણવીર શૌરીએ પણ સહુની સલમાતી માટે પ્રાર્થના કરી હતી.
જ્યારે અભિનેત્રી મિમી ચક્રવર્તીએ વાવાઝોડાને મહેસૂસ કર્યું છે અને તે ડરી ગઈ છે. તેને પોતાના ઘરમાંથી લીધેલો એક વિડિયો શેર કરતા લખ્યું હતું કે, શું બકવાસ વર્ષ છે આ.
બીજા ટ્વીટમાં અભિનેત્રીએ લખ્યું હતું કે, પરંતુ આ સમય પણ પસાર થઈ જશે.
સુપર સાઈક્લોન અમ્ફાનથી પશ્ચિમ બંગાળઅને ઓરિસ્સામાં ભારે નુકસાન થયું છે.