28 July, 2021 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ
કોર્ટ દ્વારા કંગના રનોટને છેલ્લી વાર છૂટ આપવામાં આવી છે. જાવેદ અખ્તર દ્વારા તેના પર બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો. આ માટે મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટમાં હિયરિંગ હતી. જોકે કંગના એક પણ હિયરિંગમાં હાજર નહોતી રહી. તેને હવે પહેલી સપ્ટેમ્બરે ગમે તે રીતે હાજર થવાની ચેતવણી આપવામાં આવી છે. જાવેદ અખ્તરના વકીલ દ્વારા તેના અરેસ્ટ વૉરન્ટની માગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટે હાલપૂરતી કંગનાને છૂટ આપી છે અને જો તે આગામી હિયરિંગમાં હાજર ન રહી તો તેના વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ કાઢવામાં આવશે એમ કહ્યું હતું. આ હિયરિંગ હવે પહેલી સપ્ટેમ્બરે છે. જાવેદ અખ્તરે ગયા વર્ષે નવેમ્બરમાં તેની વિરુદ્ધ કેસ કર્યો હતો. તેમણે આ ફરિયાદમાં કહ્યું હતું કે કંગનાના સ્ટેટમેન્ટને કારણે તેમની ઇમેજ ખરાબ થઈ છે.