Coronavirus Effect: લતા મંગેશકરે CM રિલીફ ફંડમાં 25 લાખ આપ્યા

31 March, 2020 09:10 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Effect: લતા મંગેશકરે CM રિલીફ ફંડમાં 25 લાખ આપ્યા

લતા મંગેશકરે ટ્વિટર પર જાહેરાત કરી.

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરે મહારાષ્ટ્ર CM રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયાનું ડોનેશન આપવાની જાહેરાત કરી છે જેથી Covid-19 સામેની લડતમાં સરકારને બનતી મદદ થઇ શકે.આ વાત લોકો સુધી પહોંચાડવા માટે લતા મંગેશકરે ટ્વિટરનો સહારો લીધો તથા જાહેરાત કરી તે મુખ્યમંત્રીનાં આસિસ્ટન્ટ ફંડમાં તે 25 લાખ રૂપિયા ડોનેટ કરશે કરાણકે આવા કપરા સમયે સરકારને મદદ કરવી એ ફરજ બને છે. તેમણે મરાઠીમાં લખ્યું હતું કે મારી તમામને નમ્ર વિનંતી છે કે આપણે સરકારને મદદ કરવી જ જોઇએ જેથી આ સ્થિતિ સામે સરકારની લડતમાં આપણે જોડાઇ શકીએ.90 વર્ષનાં લતા મંગેશકરે આ ડોનેશન દ્વારા બૉલીવુડનાં એ તમામ સિતારાઓની યાદીમાં પોતાનું નામ ઉમેર્યું છે જેમણે કોરોનાવાઇરસ સામેની લડતમાં પોતાનું યોગદાન આપ્યું છે. અન્ય સ્ટાર્સમાં અક્ષય કુમાર, સલમાન ખાન, અનુષ્કા શર્મા, વિકી કૌશલ, કાર્તિક આર્યન, રાજકુમાર રાવ વગેરેનો સમાવેશ થાય છે.

covid19 coronavirus maharashtra bollywood lata mangeshkar