19 August, 2020 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
આસામના ચીફ મિનિસ્ટર સરબનન્દા સોનોવાલે અક્ષય કુમારનો આભાર માન્યો છે. આસામમાં આવેલા પૂર માટે અક્ષયકુમારે એક કરોડનું દાન આપ્યું હતું.
અક્ષય કુમારનો આભાર માનતાં સરબનન્દા સોનોવાલે ટ્વીટ કર્યું હતું કે ‘આસામ ફ્લડ રિલીફમાં એક કરોડ રૂપિયાનું દાન કરવા માટે અક્ષય કુમારજી તમારો આભાર. ક્રાઇસિસના સમયમાં તમે હંમેશાં મદદે આવ્યા છો અને સપોર્ટ કર્યો છે. આસામના એક સાચા મિત્ર હોવાથી ભગવાનના તમારા પર આશીર્વાદ રહે અને તમે દુનિયાભરમાં છવાયેલા રહો એવી શુભેચ્છા.’