10 September, 2021 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર
કરીના કપૂર ખાનનું કહેવું છે કે તે તેની લાઇફને ટ્રોલરની દૃષ્ટિએ નથી જોઈ શકતી. કરીનાએ તેના દીકરાઓનાં નામ તૈમુર અને જહાંગીર રાખ્યાં છે. તેના દીકરાઓનાં નામને લઈને તેને ઘણી ટ્રોલ કરવામાં આવી છે. તેમ જ તેની બુક ‘કરીના કપૂર ખાન્સ પ્રેગ્નન્સી બાઇબલ’ને લઈને પણ તે ટ્રોલ થઈ હતી. આ વિશે વધુ જણાવતાં કરીનાએ કહ્યું હતું કે ‘સાચું કહું તો આ નામ અમને ગમ્યાં હતાં બસ, બીજું કંઈ નહીં. આ નામ ખૂબ જ સુંદર છે અને અમારાં બાળકો પણ ખૂબ જ સુંદર છે. આ દુઃખની વાત છે કે લોકો બાળકોને ટ્રોલ કરી રહ્યા છે. આ વિશે મને ખૂબ જ દુઃખ થયું હતું, પરંતુ મેં મારા કામ પર ફોકસ કર્યું અને એમાંથી પસાર થઈ હતી. હું મારી લાઇફને ટ્રોલર્સના દૃષ્ટિકોણથી નથી જોઈ શકતી.’