18 February, 2020 07:51 PM IST | Mumbai Desk
બોલીવુડ જગતના જાણીતાં મેકઅપ આર્ટિસ્ટ પંઢરી જુકરનું નિધન થઇ ગયું છે. પંઢરી જુકર ઘણાં સમયથી બીમાર હતા અને તેમણે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા. પંઢરીએ હિન્દી ફિલ્મોમાં કેટલાય દિગ્ગજ એક્ટર્સની સાથે કામ કર્યું છે, જેમાં અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર, મીના કુમારી, રાજ કપૂર, રાજેશ ખન્ના, શ્રીદેવી, કરીના કપૂર ખાન, શાહરૂખ ખાન વગેરેનું નામ સામેલ છે.
પંઢરી જુકરને પંઢરી દાદાના નામે જાણીતાં છે. તેમના નિધન બાદ બોલીવુડ સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ ટ્વીટ કરીને પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે. જણાવીએ કે અમિતાભ બચ્ચનનું પહેલું મેકઅપ પંઢરી દાદાએ જ કર્યું હતું. અમિતાભ બચ્ચન અને પંઢરી દાદાને લઈને ઘણી સ્ટોરીઝ પણ ફિલ્મ જગતમાં સંભળાતી રહે છે. કહેવામાં આવે છે કે એકવાર અમિતાભ બચ્ચને ઘણાં સમય સુધી પંઢરી દાદાએ કરેલું મેકઅપ હટાવ્યું હતું.
અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટમાં લખ્યું છે- "પંઢરી જુકર નથી રહ્યા, પ્રાર્થના, સંવેદનાઓ... ફિલ્મ જગતના દિગ્ગજ મેકઅપ આર્ટિસ્ટે આજના કેટલાય આર્ટિસ્ટને ટ્રેન કર્યા છે. બ્રિલિયંટ, પ્રોફેશનલ અને સૌથી પ્રિય વ્યક્તિત્વના ધની. મારું પહેલું મેકઅપ તેમણે જ કર્યું." સાથે જ અમિતાભ બચ્ચને પંઢરી દાદાની એક તસવીર પણ પોસ્ટ કરી છે.
આ પણ વાંચો : જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ
પંઢરી જુકરે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના સમયથી મેકઅપ કરવાનું શરૂ કરી દીધું હતું અને કેટલાય વર્ષો સુધી તેમણે ફિલ્મ જગતને પોતાની સંવેદનાઓ આપી હતી. પંઢરી જુકરને પોતાના કામ માટે શાંતારામ જીવન ગૌરવ પુરસ્કાર દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.