આજીવન ડિપ્રેશન સાથે રહેવાનું છે બનિતા સંધુને

24 October, 2021 05:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે હાલમાં રિલીઝ થયેલી ‘સરદાર ઉધમ’માં કામ કર્યું છે

બનિતા સંધુ

બનિતા સંધુએ જણાવ્યું છે કે તે ડિપ્રેશનમાં છે. તે જ્યારે ૧૮ વર્ષની હતી ત્યારે ડિપ્રેશનનો ભોગ બની હતી. તેણે હાલમાં રિલીઝ થયેલી ‘સરદાર ઉધમ’માં કામ કર્યું છે. આ ફિલ્મમાં તેણે એક મૂક યુવતી રેશ્માનું પાત્ર ભજવ્યું છે, જે જલિયાંવાલા બાગના હત્યાકાંડની સાક્ષી બને છે. પોતાના ડિપ્રેશન વિશે બનિતા સંધુએ કહ્યું કે ‘આ એક એવી વસ્તુ છે જેનો હું છેલ્લાં ૩ વર્ષથી સામનો કરી રહી છું. પ્રામાણિકપણે કહું તો એની સાથે હું હંમેશાં લડતી આવી છું અને મને લાગે છે કે આજીવન એની સાથે જ મારે જીવવું પડશે. જોકે મારી મેન્ટલ હેલ્થ પર થેરપી અને આસપાસના સપોર્ટને કારણે મને ફાયદો થયો છે. હું હવે એને ખૂબ સારી રીતે સંભાળી શકું છું. હું ડિપ્રેશનનો શિકાર બની હતી અને મહામારી આવી એ અગાઉ સ્વસ્થ થઈ ગઈ હતી એથી એ જ્યારે આવ્યું ત્યારે હું મારા ડિપ્રેશન સાથે તૈયાર થઈ ગઈ હતી, કારણ કે હું જાણતી હતી કે મારી મેન્ટલ હેલ્થ અને મારી હેલ્થ માટે કઈ મૂળભૂત વસ્તુ જેવી કે રૂટીન, મારો પરિવાર, ભોજન અને માનસિક રીતે પોતાને ક્રીએટિવ રાખવાની જરૂર હતી.’

entertainment news bollywood bollywood news bollywood gossips