‘ચંડીગઢ કરે આશિકી’ની સ્ટોરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી હતી : આયુષ્માન ખુરાના

10 January, 2022 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર પણ જોવા મળી હતી

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાએ જણાવ્યું છે કે તેની ઇચ્છા ‘ચંડીગઢ કરે આશિકી’ની સ્ટોરી વધુ સંખ્યામાં લોકો સુધી પહોંચાડવાની હતી. આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર પણ જોવા મળી હતી. તે આ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર બની હતી. થિયેટર્સમાં રિલીઝ થયા બાદ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થયાના ૨૪ કલાકમાં સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની ગઈ હતી. ફિલ્મના વિષય પર આયુષ્માને કહ્યું કે ‘અમારે આ જેન્ડરને સમાજમાં સામેલ કરવા પર ચર્ચા કરવામાં આવે એવી ઇચ્છા હતી. એ માટે વધુમાં વધુ લોકો જુએ અને એની સાથે જોડાઈ જાય એ અગત્યનું હતું. એથી અમારે એવી ફિલ્મ બનાવવી હતી જે વધુમાં વધુ લોકોને સ્પર્શી જાય. ‘ચંડીગઢ કરે આશિકી’ ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવ્યાના ૨૪ કલાકમાં જ સૌથી વધુ જોવામાં આવી હતી. આ ફિલ્મને ખૂબ પ્રેમ, દિલ અને પ્રાણ પૂરીને બનાવવામાં આવી છે. આ ફિલ્મે અનેક લોકોને મનોરંજન આપ્યું અને સમાજ માટે અગત્યનો, સકારાત્મક સંદેશ પહોંચાડ્યો એ વાતની ખુશી છે.’

entertainment news bollywood bollywood news ayushmann khurrana