દાદા એક્સ-મિનિસ્ટર સુખ રામના મૃત્યુથી દુખી છે આયુષ શર્મા

12 May, 2022 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષ શર્માના દાદા અને ભૂતપૂર્વ પૉલિટિશ્યન સુખ રામનું ગઈ કાલે ૯૪ વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે.

આયુષ શર્મા

આયુષ શર્માના દાદા અને ભૂતપૂર્વ પૉલિટિશ્યન સુખ રામનું ગઈ કાલે ૯૪ વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. ભૂતપૂર્વ યુનિયન મિનિસ્ટરને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. તેઓ ૧૯૯૩થી ૧૯૯૬ સુધી યુનિયન ટેલિકૉમ મિનિસ્ટર હતા. તેમના મૃત્યુના સમાચાર આયુષે ઇન્સ્ટાગ્રામ પર એક ન્યુઝ શૅર કરીને આપ્યા હતા. આ નોટમાં આયુષે લખ્યું હતું કે ‘ખૂબ જ દુખદ દિલથી હું મારા દાદાજી પંડિત સુખ રામ શર્માને અલવિદા કહું છું. મને ખબર છે કે તમે જતા રહ્યા છો છતાં હંમેશાં મારી સાથે રહેશો અને મને ગાઇડ કરશો. તમારા આત્માને શાંતિ મળે. તમને હંમેશાં યાદ કરવામાં આવશે.’

aayush sharma bollywood news