‘કુત્તે’ને વિશાલજી અને લવ રંજનનો પ્રસાદ સમજીને લઈ લીધી હતી : અર્જુન કપૂર

13 January, 2023 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં અર્જુનની સાથે તબુ, નસીરુદ્દીન શાહ, કોંકણા સેન શર્મા, રાધિકા મદન અને કુમુદ મિશ્રાએ કામ કર્યું છે

અર્જુન કપૂર

અર્જુન કપૂરનું કહેવું છે કે વિશાલ ભારદ્વાજ અને લવ રંજનની ફિલ્મ ‘કુત્તે’ને તેણે પ્રસાદ સમજીને લઈ લીધી છે. આજે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મને તેમણે પ્રોડ્યુસ કરી છે. વિશાલ ભારદ્વાજના દીકરા આસમાન ભારદ્વાજ દ્વારા એને ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં અર્જુનની સાથે તબુ, નસીરુદ્દીન શાહ, કોંકણા સેન શર્મા, રાધિકા મદન અને કુમુદ મિશ્રાએ કામ કર્યું છે. આ ફિલ્મ ​વિશે વાત કરતાં અર્જુને કહ્યું કે ‘હું વિશાલ ભારદ્વાજ અને લવ રંજનનો ખૂબ જ મોટો ફૅન છું. હું જે ફિલ્મમાં ઍક્ટિંગ કરી રહ્યો છું એ ફિલ્મને તેમણે બન્નેએ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. તેઓ મને એક દિવસ ડિરેક્ટ પણ કરશે એવી આશા રાખી રહ્યો છું, પરંતુ સાથે એવું પણ વિચારી રહ્યો છું કે પ્રોડ્યુસર બનીને તેમના તરફથી જે મળી રહ્યું છે એ તો પહેલાં પ્રસાદ સમજીને લઈ લઉં. અલગ વિચારધારા રાખનાર લોકો સાથે કામ કરવું હંમેશાં સારું હોય છે. ક્રીએટિવલી કહું તો વિશાલ સર સાથે કામ કરવું ખૂબ જ સારું રહ્યું છે. ખૂબ જ ઓછા સમયમાં પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે લવ રંજને ઘણું મેળવ્યું છે. મેં જ્યારે આ સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે મેં એ વિશે લવ રંજનને કહ્યું હતું. મેં તેને કહ્યું કે આ ફિલ્મ સ્વીકારવાનું હું વિચારી રહ્યો છું અને તે પ્રોડ્યુસર તરીકે શું માને છે. તેણે પણ આ​ ફિલ્મ સાથે જોડાવાનું નક્કી કરી લીધું હતું. વિશાલજી અને લવ રંજને સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે અને એને કારણે મને મારી કરીઅરની બેસ્ટ એક્સાઇટિંગ ફિલ્મ મળી છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood arjun kapoor vishal bhardwaj