જાહ્‍‍નવી અને ખુશી કપૂરથી પોતાને અળગો માને છે અર્જુન કપૂર

04 July, 2021 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્જુન કપૂર અને અંશુલા બોની કપૂર અને તેમની પહેલી વાઇફ મોના શૌરીનાં બાળકો છે. મોના સાથે ડિવૉર્સ લીધા બાદ બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કરી લીધાં હતાં.

અર્જુન કપૂર

અર્જુન કપૂર હજી પણ પોતાને જાહ્‍‍નવી કપૂર અને ખુશી કપૂરથી અલગ પરિવારનો માને છે. તેનું માનવું છે કે તેઓ હજી પણ એકબીજાને સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અર્જુન કપૂર અને અંશુલા બોની કપૂર અને તેમની પહેલી વાઇફ મોના શૌરીનાં બાળકો છે. મોના સાથે ડિવૉર્સ લીધા બાદ બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કરી લીધાં હતાં. તેમને બે દીકરીઓ જાહ્‍‍નવી કપૂર અને ખુશી કપૂર છે. પરિવાર વિશે અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘જો એમ કહેવામાં આવે કે અમે પર્ફેક્ટ ફૅમિલી છીએ તો એ ખોટું કહેવાય. એવું નથી કે અમારા મત અલગ છે, અમે આજે પણ અલગ પરિવાર છીએ. અમે હજી પણ એકબીજા સાથે રહેવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે જ્યારે સાથે હોઈએ ત્યારે સારો સમય પસાર કરીએ છીએ. જોકે અમે એક કુટુંબનાં નથી. હું ખોટું નહીં કહું કે બધું સારું છે. અમે હજી પણ વસ્તુસ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.’

bollywood news bollywood bollywood gossips khushi kapoor janhvi kapoor arjun kapoor