27 May, 2021 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનુરાગ કશ્યપ તસવીર સૌજન્ય એએફપી
ડિરેક્ટર-પ્રૉડ્યૂસર તરીકે `ગેન્ગ્સ ઑફ વાસેપુર` જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ફિલ્મમેકર અનુરાગ કશ્યપને તાજેરમાં જ છાતીમાં દુઃખાવા પછી મુંબઇના એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. આ વાતની માહિતી આપતા અનુરાગ કશ્યપના સ્પોકપર્સને એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ સાથેની વાતચીતમાં કહ્યું, "હા, તેમની એન્જિયોપ્લાસ્ટી થઈ છે અને હવે તે સ્વસ્થ થઈ રહ્યા છે. તેમની ચિંતા કરવા માટે તમારો આભાર."
છાતીમાં દુઃખાવો થયા પછી ગયા હૉસ્પિટલ
રિપૉર્ટ્સમાં કશ્યપના નજીકના સૂત્રો દ્વારા લખ્યું છે કે ગયા અઠવાડિયે તેમની છીતામાં સામાન્ય દુઃખાવો થયો હતો. ત્યાર પછી તે ચેકઅપ માટે હૉસ્પિટલ ગયા હતા. આ દરમિયાન જ્યારે તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી તો હ્રદયમાં બ્લૉકેજ જોવા મળ્યા. પછી ડૉક્ટરની સલાહ પછી તેમણે તરત જ સર્જરી માટે દાખલ થવાનો નિર્ણય લીધો. ડૉક્ટર્સે કશ્યપને થોડાંક અઠવાડિયા આરમ કરવાની સલાહ આપી છે.
બીજી ફિલ્મ `દોબારા` પોસ્ટ પ્રૉડક્શન સ્ટેજમાં
વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રૉડ્યૂસર તરીકે અનુરાગની છેલ્લી ફિલ્મ `એકે વર્સેસ એકે` 24 ડિસેમ્બર 2020ના નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી, જેને વિક્રમાદિત્ય મોટવાને ડિરેક્ટ કરી હતી. તેમની આગામી ફિલ્મ `દોબારા` છે, જેનું શૂટિંગ તે માર્ચમાં પૂરી કરી ચૂક્યા છે. તાપસી પન્નૂ સ્ટારર આ ફિલ્મના ડિરેક્ટર પણ અનુરાગ પણ છે. હાલ ફિલ્મના પોસ્ટ પ્રૉડક્શન પર કામ ચાલી રહ્યું છે.