નયનતારા સાથે ‘કનેક્ટ’માં જોવા મળશે અનુપમ ખેર

20 November, 2021 07:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાશ્મીરના નરસંહારની વાસ્તવિક સ્ટોરી લઈને આવ્યા અનુપમ ખેર

નયનતારા સાથે ‘કનેક્ટ’માં જોવા મળશે અનુપમ ખેર

‘કનેક્ટ’માં નયનતારા સાથે હવે અનુપમ ખેર પણ જોવા મળશે. અશ્વિન સર્વાનન એને ડિરેક્ટ કરશે. નયનતારા બીજી વખત અશ્વિન સાથે કામ કરી રહી છે. આ અગાઉ તેણે ‘માયા’માં કામ કર્યું હતું. આ ફિલ્મ ખૂબ સફળ રહી હતી. ‘કનેક્ટ’ વિશે ટ્વિટર પર વિગ્નેશ સિવને ટ્વીટ કર્યું હતું કે ‘નયનતારા તારી સાથે ‘કનેક્ટ’ થવાનો મને હંમેશાં ગર્વ થાય છે. ફિલ્મમેકર અશ્વિન સર્વાનન સાથે કામ કરવાની ખુશી છે. સત્યરાજ સરની સાથે જ આ ફિલ્મ માટે અનુપમ ખેરને પણ સાઇન કરવામાં આવ્યા છે. એનાથી રાઉડી પિક્ચર્સને ખૂબ ગર્વ અને સફળતાનો અનુભવ થઈ રહ્યો છે.’
ટ્વિટર પર અશ્વિન સર્વાનને ટ્વીટ કર્યું હતું કે ‘૬ વર્ષ બાદ આખરે અમારું રીયુનિયન થયું છે. આમાં કામ કરવાનું સન્માન અનુભવી રહ્યો છું. મારા વિઝનને સપોર્ટ આપવા માટે વિગ્નેશ સિવન ભાઈ અને રાઉડી પિક્ચર્સ થૅન્ક યુ. હું વિશ્વને આ ફિલ્મ દેખાડવા એક્સાઇટેડ છું.’

કાશ્મીરના નરસંહારની વાસ્તવિક સ્ટોરી લઈને આવ્યા અનુપમ ખેર

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ૨૬ જાન્યુઆરીએ કરવામાં આવશે રિલીઝ

અનુપમ ખેરની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આવતા વર્ષે ૨૬ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ દ્વારા કાશ્મીરી પંડિતો સાથે વર્ષો પહેલાં થયેલા અમાનવીય અત્યાચાર પર પ્રકાશ નાખવામાં આવશે. આ ફિલ્મમાં પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી અને દર્શન કુમાર પણ જોવા મળશે. આ ફિલ્મને વિવેક રંજન અગ્નિહોત્રીએ લખી અને ડિરેક્ટ કરી છે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી કે ‘કાશ્મીરના હિન્દુઓને પોતાના નરસંહારની સ્ટોરી વિશ્વને દેખાડવા માટે ૩૧ વર્ષ કરતાં પણ વધુ સમય રાહ જોવી પડી હતી. આઝાદ ભારતમાં થયેલી એ નિર્દય ઘટનાને છુપાવવાના અનેક પ્રયાસો થયા હતા. આમ છતાં અમે હવે છેવટે કાશ્મીર નરસંહારની વાસ્તવિક સ્ટોરી રજૂ કરી રહ્યા છીએ. ૨૦૨૨ની ૨૬ જાન્યુઆરીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ કરવામાં આવશે. આખા વિશ્વને આ સ્ટોરી દેખાડવામાં અમારી મદદ કરો.’

bollywood news bollywood bollywood gossips entertainment news anupam kher