13 May, 2021 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલ્લુ અર્જુન
અલ્લુ અર્જુનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તે ૧૫ દિવસ સુધી ક્વૉરન્ટીન હતો. પોતાને કોરોના થયો હોવાની માહિતી તેણે સોશ્યલ મીડિયામાં આપી હતી. સાથે જ તેણે લોકોને ઘરમાં રહેવાની અને વૅક્સિન લેવાની પણ સલાહ આપી હતી. પોતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યાની માહિતી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અલ્લુ અર્જુને લખ્યું હતું કે ‘હેલો એવરીવન. ૧૫ દિવસો સુધી ક્વૉરન્ટીન રહ્યા બાદ મારો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું મારા તમામ શુભચિંતકો અને ફૅન્સે કરેલી પ્રાર્થનાઓ માટે આભાર માનું છું. આશા રાખું છું કે આ લૉકડાઉનથી કોરોનાના વધતા કેસમાં ઘટાડો આવશે. ઘરમાં રહો અને સલામત રહો. તમારા પ્રેમ માટે આભાર.’