30 July, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષયકુમારે જૂનમાં બોરીવલીના તેના બે આલીશાન ફ્લૅટ ૭.૧૦ કરોડ રૂપિયામાં વેચીને ૯૧ ટકાથી વધુ નફો મેળવ્યો છે. રિપોર્ટ પ્રમાણે અક્ષયકુમારના આ બે ફ્લૅટ ૨૫ એકરમાં ફેલાયેલા સ્કાય સિટીમાં હતા.
અક્ષયે આ બે ફ્લૅટમાંથી એક ૨૦૧૭માં ૩.૦૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને અત્યારે ૫.૭૫ કરોડ રૂપિયામાં વેચ્યો છે. આ પ્રૉપર્ટી ૧૧૦૧ સ્ક્વેર ફુટ છે જેમાં બે કાર-પાર્કિંગ સ્પેસનો સમાવેશ છે. આ ડીલમાં ૩૪.૫૦ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટીના અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ચાર્જના ચૂકવ્યા હતા.
અક્ષયે વેચેલો બીજો ફ્લૅટ તેણે ૨૦૧૭માં ૬૭.૯૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને અત્યારે ૧.૩૫ કરોડ રૂપિયામાં વેચ્યો છે. આ પ્રૉપર્ટીનો કાર્પેટ એરિયા ૨૫૨ સ્ક્વેર ફુટ છે. આ ડીલમાં ૬.૭૫ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટીના અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ચાર્જના ચૂકવ્યા હતા.
આ પહેલાં પણ માર્ચમાં અક્ષયે બોરીવલીમાં બે રહેણાક પ્રૉપર્ટી ૬.૬૦ કરોડ રૂપિયામાં વેચી હતી. આ પ્રૉપર્ટી પણ ૨૦૧૭માં તેણે આ જ ટાઉનશિપમાં ખરીદી હતી. એ સિવાય તેણે એપ્રિલમાં લોઅર પરેલની તેની ઑફિસ-સ્પેસ ૮ કરોડ રૂપિયામાં વેચી હતી.