અજય દેવગનની ફિલ્મના પ્રોડ્યુસર સુરેશ ગ્રોવરનું મૃત્યુ

11 May, 2021 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેઓ મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં દાખલ હતા

અજય દેવગન

અજય દેવગન અને મિથુન ચક્રવર્તીની ફિલ્મોને પ્રોડ્યુસ કરનાર સુરેશ ગ્રોવરનું મૃત્યુ થયું છે. તેઓ મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં દાખલ હતા. તેમની છેલ્લી ફિલ્મ ભોજપુરી હતી જેમાં રવિ કિશને કામ કર્યું હતું. ૧૯૮૭માં રિશી કપૂરની ‘પ્યાર કે કાબિલ’ દ્વારા તેમણે કરીઅરની શરૂઆત કરી હતી. જોકે મિથુનની ‘રોટી કી કિંમત’ દ્વારા તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. ઍક્ટ્રેસ પ્રિયા સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તેમણે લગ્ન કરી લીધાં હતાં. અજય દેવગનની ૧૯૯૩માં આવેલી ‘સંગ્રામ’ બાદ તેમનું નામ દેશ-વિદેશમાં જાણીતું બની ગયું હતું. તેમણે ‘બલમા’ને પણ પ્રોડ્યુસ કરી હતી. સુનીલ શેટ્ટી સાથે બનાવેલી ‘ઢાલ’ ખૂબ જ નિષ્ફળ રહેતાં તેઓ લાંબા સમય સુધી ફિલ્મને પ્રોડ્યુસ કરવાથી દૂર રહ્યા હતા. ૨૦૧૪માં રવિ કિશન સાથેની તેમની છેલ્લી ફિલ્મ હતી.

entertainment news bollywood bollywood news ajay devgn