ઐશ્વર્યાની સાથે દીકરી આરાધ્યા પણ જોવા મળશે આ ફિલ્મમાં, અભિનેત્રીએ કર્યો આ ખુલાસો

26 September, 2022 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મણિરત્નમ ફિલ્મ `પોન્નિયન સેલ્વનઃ 1`ના નિર્દેશક છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાજકુમારી નંદિનીના રોલમાં જોવા મળશે.

ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા (તસવીર: સૌ.ઈન્સ્ટાગ્રામ)

ઐશ્વર્યા રાય બચ્ચન (Aiswarya Rai Bachchan)ની ફિલ્મ `પોન્નિયન સેલ્વનઃ 1` (Ponniyan Selvan 1)ની રિલીઝ ડેટ નજીક છે. આ ફિલ્મની ચાહકો ક્યારેથી રાહ જોઈ રહ્યા છે. ઐશ્વર્યા ઘણા વર્ષો પછી આ ફિલ્મથી કમબેક કરી રહી છે. આવી સ્થિતિમાં ચાહકોની સાથે અભિનેત્રી પોતે પણ પોતાની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ શું તમે જાણો છો કે ઐશ્વર્યાની પ્રિય આરાધ્યા બચ્ચન પણ ફિલ્મ `પોન્નિયન સેલ્વનઃ 1`માં ખાસ રોલમાં છે. હાલમાં જ ઐશ્વર્યાએ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો, જેનો વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મણિરત્નમ ફિલ્મ `પોન્નિયન સેલ્વનઃ 1`ના નિર્દેશક છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાજકુમારી નંદિનીના રોલમાં જોવા મળશે. તેના રોલ અને તેના પર આરાધ્યાની પ્રતિક્રિયા વિશે વાત કરતાં ઐશ્વર્યા કહે છે, "આરાધ્યાને પીરિયડ ડ્રામા જોવાનો શોખ છે. તેને સેટ પર આવવાનો પણ મોકો મળ્યો. મને જોઈને તે ખૂબ જ ખુશ હતી, આ ખુશી તેની આંખમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી." ઐશ્વર્યાએ કહ્યું કે આરાધ્યા મણિરત્નમનું ખૂબ સન્માન કરે છે. તે મણિરત્નમને ખૂબ પસંદ કરે છે. જ્યારે મણિરત્નમે આરાધ્યાને `એક્શન` કહેવાનો મોકો આપ્યો ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો.

આ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું, "તે ખુશીથી પાગલ થઈ રહી હતી. તેણે મને કહ્યું કે સાહેબે મને એક્શન બોલવાનો મોકો આપ્યો. તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને અમે પણ. અમને પણ અત્યાર સુધૂ અમે તેને કહ્યું કે અમને પણ આજ સુધી આવો મોકો મળ્યો નથી. મણિરત્નમ સરે આરાધ્યાને જે તક આપી તે તેના માટે અમૂલ્ય છે. મને ખાતરી છે કે જ્યારે તે મોટી થશે ત્યારે તે તેના માટે હંમેશા માટે સુવર્ણ યાદ બની જશે." તમને જણાવી દઈએ કે, `પોન્નિયન સેલ્વન-1`માં ઐશ્વર્યા સિવાય ત્રિશા કૃષ્ણન, વિક્રમ અને શોભિતા ધૂલીપાલા પણ મુખ્ય ભૂમિકામાં છે.

bollywood news entertainment news aishwarya rai bachchan