લક્ષ્મી જોયા બાદ લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ કહ્યું...

10 November, 2020 06:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લક્ષ્મી જોયા બાદ લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ કહ્યું...

કિયારા અડવાણી, લક્ષ્મી નારાયણ ત્રિપાઠી, અક્ષયકુમાર

‘લક્ષ્મી’ જોયા બાદ લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ કહ્યું હતું આ ફિલ્મ માટે તેઓ અક્ષયકુમારનો આભાર માને છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર કિન્નરનું પાત્ર ભજવ્યું છે જેમાં તેની સાથે કિયારા અડવાણી પણ છે. હૉટ સ્ટાર પર ગઈ કાલે રિલીઝ થયેલી આ ફિલ્મ વિશે સોશ્યલ ઍક્ટિવિસ્ટ લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘કોઈ પણ ટ્રાન્સજેન્ડર એક પુરુષ અથવા તો મહિલા જેટલી જ સમાન વ્યક્તિ હોય છે. આ ફિલ્મમાં એ વાતને ખૂબ જ સારી રીતે કહેવામાં આવી છે. આ ખૂબ જ અદ્ભુત વાત છે અને મારું માનવું છે કે તેઓ એક ખૂબ જ મોટા સ્ટાર હોવા છતાં આવી ફિલ્મ કરી એ માટે તેમને ક્રિટિસાઇઝ કરવાની જગ્યાએ તેમનો આભાર માનવો જોઈએ.’

આ ફિલ્મની આસપાસ ફેલાયેલી નકારાત્મકતા વિશે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘કેટલાંક પબ્લિકેશન એનો વિરોધ કરી રહ્યાં છે અને એ વિશે નકારાત્મક વાત કહી રહ્યાં છે. તેમને વાસ્તવિકતા વિશે કેટલી ખબર છે? આ વિશે હું ખૂબ જ શૉક્ડ છું. કેટલીક ફિલ્મો એવી પણ છે જેમાં મેં કામ કર્યું છે, પરંતુ કોઈએ એને ખરીદી નહોતી. આ એક બિઝનેસ છે. કોઈ પણ દિવસ ફિલ્મ જોયા વગર એના વિશે નકારાત્મક વાત કેવી રીતે લખી શકાય?’

આ ફિલ્મ વિશે વાત કરતાં લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘ખૂબ જ પ્યારી ફિલ્મ છે. આટલી સારી ફિલ્મ મને આજ સુધી એક પણ નથી લાગી. હું વર્ષોથી કિન્નર કમ્યુનિટી સાથે જોડાયેલી છું. ફિલ્મ દરમ્યાન હું બે-ત્રણ વાર રડી પણ હતી. મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે આ ફિલ્મનાં લોકો ખૂબ જ વખાણ કરે. મને એનાથી વિશેષ કંઈ નથી જોઈતું.’

entertainment news bollywood bollywood news laxmmi bomb akshay kumar kiara advani