સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાથી બૉલીવુડ શૉકગ્રસ્ત

14 June, 2020 06:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાથી બૉલીવુડ શૉકગ્રસ્ત

અભિનેતાએ 34 વર્ષની વયે આત્મહત્યા કરી છે

34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપુતે આજે બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી છે. આ સમાચાર સાંભળીને બૉલીવુડ શૉકગ્રસ્ત થયું છે. અક્ષય કુમાર, રિતેશ દેશમુખ સહિત અનેક બૉલીવુડ સેલેબ્ઝે સોશ્યલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

અભિનેત્રી કરીના કપુર ખાન, અભિનેતા શાહિદ કપુર અને શાહરૂખ ખાને સુશાંત સિંહ રાજપુતના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

અક્ષય કુમારે લખ્યું હતું કે, આ સમાચાર સાંભળીને ખરેખર મને બહુ આઘાર લાગ્યો છે. જ્યારે મેં સુશાંતને છીછોરે ફિલ્મમામં જોયો ત્યારે મેં ફિલ્મના પ્રોડયુસર અને મારા મિત્ર સાજીદને કહ્યું હતું કે મને ફિલ્મ બહુ જ ગમી, કદાચ હું તેનો ભાગ બની શક્યો હોત.

રિતેશ દેશમુખ પણ સમાચાર સાંભળીને બહુ શૉક થઈ ગયો હતો.

અનુરાગ કશ્યપે કહ્યું હતું કે, આ સત્ય ન હોઈ શકે.

અનુપમ ખેરે લખ્યું હતું કે, મારા વ્હાલા સુશાંત શા માટે?

અજય દેવગને લખ્યું હતું કે, સુશાંતની મોતના સમાચાર ખરેખર બહુ દુ;ખદ છે. તેના આત્માને શાંતિ મળે. ભગવાન પરિવારજનોને તાકાત આપે.

સોનુ સુદને તો વાત પર વિશ્વાસ જ નહોતો થતો અને તેણે લખ્યું હતું કે, ઈચ્છુ છું કે આ સત્ય ન હોય.

અભિનેત્રી સ્વરા ભાસ્કરે કહ્યું હતું કે, તું કઈ મુશ્કેલીમાંથી પસાર થતો હતો એ મને નથી ખબર પણ આ બહુ દુ:ખદ સમાચાર છે.

'એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' ફિલ્મની સુશાંતની કૉ-સ્ટાર દિશા પટણીને પણ દુ;ખ વ્યક્ત કર્યું હતું.

ખરેખર, સુશાંતના નિધનના સમાચારથી આખુ બૉલીવુડ શૉકમાં ડુબી ગયું છે.

entertainment news bollywood news bollywood sushant singh rajput akshay kumar riteish deshmukh anurag kashyap swara bhaskar Disha Patani ajay devgn anupam kher sonu sood