‘3 ઇડિયટ્સ’નાં ૧૩ વર્ષ બાદ એ જ ઇન્સ્ટિટ્યૂટમાં ફરી જશે આમિર

05 August, 2022 05:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ સમિટમાં આમિર ‘ફેસેટ્સ ઑફ મૅનેજમેન્ટ ઇન ફિલ્મ્સ ઍન્ડ લાઇફ’ વિશે ચર્ચા કરવાની સાથે જ સ્ટુડન્ટ્સ સાથે વાતચીત પણ કરશે

આમિર ખાન

આમિર ખાનની ‘3 ઇડિયટ્સ’નાં ૧૩ વર્ષ બાદ એ જ ઇન્સ્ટિટ્યૂટ IIM બૅન્ગલોરમાં તે ફરી જવાનો છે જ્યાં એનું શૂટિંગ થયું હતું. તેને ઇન્સ્ટિટ્યૂટ વતી IIM ઇન્ટરનૅશનલ સમિટ વિસ્ટા માટે ઇન્વાઇટ કરવામાં આવ્યો છે. એ સમિટમાં આમિર ‘ફેસેટ્સ ઑફ મૅનેજમેન્ટ ઇન ફિલ્મ્સ ઍન્ડ લાઇફ’ વિશે ચર્ચા કરવાની સાથે જ સ્ટુડન્ટ્સ સાથે વાતચીત પણ કરશે. આ ઇવેન્ટમાં ફિલ્મમેકર અદ્વૈત ચંદન, મોના સિંહ, નાગ ચૈતન્ય, લેન્સકાર્ટના સીઈઓ અને કો-ફાઉન્ડર પીયૂષ બંસલ, વેદાંતાના ચૅરમૅન અનિલ અગ્રવાલ અને ડિલોઇટના ગ્લોબલ સીઈઓ પુનિત રંજન પણ હાજર રહેશે.

entertainment news bollywood bollywood news aamir khan 3 idiots