‘આચાર્ય’ના નુકસાનની ભરપાઈ કરવાની વિનંતી ચિરંજીવીને કરી ડિસ્ટ્રિબ્યુટર્સે

08 May, 2022 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચિરંજીવી તરફથી કોઈક જવાબ મળે એની રાહ ડિસ્ટ્રિબ્યુટર્સ જોઈ રહ્યા છે

‘આચાર્ય’નું પોસ્ટર

ડિસ્ટ્રિબ્યુટર રાજગોપાલ બજાજે ‘આચાર્ય’ના નુકસાનની ભરપાઈ કરવાની વિનંતી કરતો એક પત્ર ચિરંજીવીને લખ્યો છે. કોરતલા સિવા ડિરેક્ટેડ આ ફિલ્મમાં ચિરંજીવી અને તેનો દીકરો રામ ચરણ લીડ રોલમાં છે. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખાસ કોઈ કમાલ નથી કરી શકી અને એને કારણે ડિસ્ટ્રિબ્યુટર્સને ભારે નુકસાન થયું છે. રાજગોપાલ બજાજે લખેલા લેટરમાં લખવામાં આવ્યું છે કે ફિલ્મને સારો રિસ્પૉન્સ ન મળતાં ડિસ્ટ્રિબ્યુટર્સને અતિશય નુકસાન થયું છે. ચિરંજીવી તરફથી કોઈક જવાબ મળે એની રાહ ડિસ્ટ્રિબ્યુટર્સ જોઈ રહ્યા છે. રાજગોપાલ બજાજે કહ્યું કે હું કર્જમાં ડૂબી ગયો છું.

entertainment news bollywood bollywood news chiranjeevi ram charan